chalo satsang kariye

વ્રત-કથા-મંત્ર-સ્તોત્ર-પાઠ-જ્યોતિષ-વાસ્તુશાસ્ત્ર આદિ જ્ઞાન ગુજરાતી રીતિરીવાજો આધ્યાત્મિક જ્ઞાન સહીત સર્વ સહજ સરળતાથી અહીંયા પ્રસ્તુત કરવા માટે ચાલો સત્સંગ કરીયે ।


અધિક માસમાં શું દાન કરવું જોઈએ ? Adhikmaas ma shu Daan karvu joiye ?


અધિક માસમાં શું દાન કરવું જોઈએ ?


અધિક માસમાં શું દાન કરવું જોઈએ ?

અધિક માસમાં શું દાન કરવું જોઈએ?
અધિક માસમાં દાન કરવાથી શું ફળ મળે છે?

પ્રતિપદા (એકમ): આ દિવસે ઘીને ચાંદીના પાત્રમાં (વાસણમાં) ભરીને દાન કરવું.

દ્વિતીયા (બીજ): બીજના દિવસે કાંસાના પાત્રમાં સોનાનું દાન કરવું.

તૃતીયા (ત્રીજ): ત્રીજના દિવસે ચણા અથવા ચણાની દાળનું દાન કરવું.

ચતુર્થી (ચોથ): ચોથના દિવસે યથાશક્તિ (શક્તિ પ્રમાણે) કંઈક દ્રવ્ય (રૂપિયા/પૈસા) નું દાન કરવું.

પંચમી (પાંચમ): પાંચમના દિવસે ગોળ અને તુવેરની દાળનું દાન કરવું.

ષષ્ઠી (છઠ): છઠના દિવસે ચંદન અથવા અષ્ટગંધનું દાન કરવું.

સપ્તમી અને અષ્ટમી (સાતમ અને આઠમ): સાતમ અને આઠમના દિવસે તમે તમારી શક્તિ અનુસાર કંઈપણ દાન કરી શકો છો.

નવમી (નોમ): નોમના દિવસે કેસરનું દાન કરી શકો છો.

દશમી (દશમ): દશમના દિવસે કસ્તુરીનું દાન કરી શકો છો.

એકાદશી (અગિયારસ): અગિયારસના દિવસે ગોરોચનનું દાન કરી શકો છો.

દ્વાદશી (બારસ): બારસના દિવસે શંખનું દાન કરી શકો છો.

ત્રયોદશી (તેરસ): તેરસના દિવસે પૂજાની ઘંટડીનું દાન કરવું.

ચતુર્દશી (ચૌદશ): ચૌદશના દિવસે મોતીનું દાન કરી શકો છો.

પૂર્ણિમા - અમાવસ્યા (પૂનમ અને અમાસ): પૂનમ અને અમાસના દિવસે મોતી અથવા હીરાનું દાન કરી શકો છો.

દાનનો મૂળ નિયમ

પરંતુ મૂળ વાત એ છે કે, દાન હંમેશા તમારી આર્થિક સ્થિતિ અનુસાર જ કરવું જોઈએ.

એક વાત હંમેશા યાદ રાખજો કે દાન ક્યારેય પણ દેવું (કરજ) કરીને કરવામાં આવતું નથી.

|| ૐ નમો ભગવતે વાસુદેવાય ||