પ્રદોષ માં બોલો આ શિવજીનાં ૧૬ નામ । Pradosh ma bolo Shivjinaa 16 naam ।
માતંગી સ્તવન । Matangi Stavan ।
માતંગી સ્તવન
ધનદા દેવી સ્તોત્ર
શિવ અભિષેક સ્તોત્ર
શ્રી લઘુ વિષ્ણુ સહસ્ત્ર નામાવલી। Shree Laghu Vishnu Sahastra Namavali ।
શ્રી લઘુ વિષ્ણુ સહસ્ત્ર નામાવલી
દેવી સુક્તમ । Devi Suktam ।
દેવી સુક્તમ
અધિક માસ માં દીપદાન ની વિધિ
પુરુષોત્તમ માસમાં ભગવાન સમક્ષ કરો માત્ર એક દીવો
જન્મોજન્મની દરિદ્રતા દૂર થઈ જશે!
અધિક માસમાં દીપદાન કેવી રીતે કરવું?
કર્તવ્યં દીપદાનં ચ પુરુષોત્તમતુષ્ટયે |
તેન તે તીવ્ર દારિદ્ર્યં સમૂલં નાશમેષ્યતિ ||
તિલતૈલેન કર્તવ્યઃ સપિષા વૈભવે સતી |
તયોર્મધ્યે ન કિઞ્ચિત્તે કાનને વસતોઽધુના ||
|| અર્થ ||
પુરુષોત્તમ માસમાં ભગવાન પુરુષોત્તમ (શ્રી હરિ વિષ્ણુ) ની પ્રસન્નતા માટે દીપદાન અવશ્ય કરવું જોઈએ. તેનાથી મનુષ્યની તીવ્રમાં તીવ્ર દરિદ્રતાનો પણ જડમૂળમાંથી નાશ થઈ જાય છે. જો આર્થિક પરિસ્થિતિ (વૈભવ) સારી હોય તો ગાયના ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ, અથવા તો تલના તેલનો દીવો પ્રગટાવીને ભગવાન વિષ્ણુના ચરણોમાં અર્પણ કરવો જોઈએ.
|| મંત્ર ||
ॐ ऐं | ॐ श्रीं | ॐ क्लीं |
અધિક માસમાં ભગવાનને દીપદાન કરવાથી શું ફળ મળે છે?
લક્ષ્મીજીની કૃપા: લક્ષ્મીમાં વૃદ્ધિ થાય છે અને સ્થિર લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે.
વેદોનું પુણ્ય: વેદોમાં જણાવેલા તમામ સત્કર્મો કરવાથી જે ફળ મળે છે, તે માત્ર એક દીપદાન કરવાથી જ પ્રાપ્ત થઈ જાય છે.
સૌથી સર્વોત્તમ કર્મ: જગતના સમસ્ત તીર્થો અને શાસ્ત્રોનું પુણ્ય પણ પુરુષોત્તમ માસના દીપદાનની સોળમી કળા (એક નાનકડા અંશ) બરાબર પણ નથી.
અધિક માસમાં દીપદાન કેવી રીતે કરવું?
યોગ, સાંખ્ય દર્શન, સર્વ તંત્ર, સર્વ શાસ્ત્રો, સર્વ વ્રત, ચાંદ્રાયણ વ્રત અને હજારો ગ્રહણ વગેરે પુણ્યકાળ પણ પુરુષોત્તમ માસના દીપદાનની સોળમી કળા બરાબર નથી.
વિદ્યાર્થીઓ માટે: જે વિદ્યાર્થીઓ ભણવામાં નબળા છે, જો તેઓ દીપદાન કરે તો ઉત્તમ વિદ્યા પ્રાપ્ત કરે છે.
ધન-વૈભવ માટે: જેમને ફક્ત ધન-દોલત જોઈએ છે, તેઓ ધનવાન બને છે.
ભક્તો માટે: જેમને ભક્તિ જોઈએ છે, તેઓ પરમ હરિભક્ત બને છે (હરિ એટલે કે વિષ્ણુ આદિ દેવતા).
ભગવાન મનુષ્યની તમામ ઈચ્છાઓને પૂર્ણ કરે છે.
|| ૐ નમો ભગવતે વાસુદેવાય ||
અધિક માસમાં શું દાન કરવું જોઈએ ? Adhikmaas ma shu Daan karvu joiye ?
અધિક માસમાં શું દાન કરવું જોઈએ ?
દાનનો મૂળ નિયમ
પરંતુ મૂળ વાત એ છે કે, દાન હંમેશા તમારી આર્થિક સ્થિતિ અનુસાર જ કરવું જોઈએ.
એક વાત હંમેશા યાદ રાખજો કે દાન ક્યારેય પણ દેવું (કરજ) કરીને કરવામાં આવતું નથી.
|| ૐ નમો ભગવતે વાસુદેવાય ||
માતંગી સ્તવન। Matangi Stavan ।
માતંગી સ્તવન
ઇન્શ્વરોવાચ
આરાધ્ય માતશ્ચરણામ્બુજે તે બ્રહ્માદયો વિશ્રુતકીર્તિમાપુઃ |
અન્યે પરં વા વિભવં મુનીન્દ્રા: પરાં શ્રિયં ભક્તિરેણ ચાન્યે || 1 ||
નમામિ દેવીં નવચન્દ્રમૌલેર્માતંગિનીં ચન્દ્રકલાવતંસામ્ |
આમ્લાયવગ્ભીઃ પ્રતિપાદિતાર્થં પ્રબોધયન્તીં પ્રિયમાદરેણ || 2 ||
વિનમ્રદેવાસુરમૌલિરત્નૈર્વિરાજિતં તે ચરણારવિન્દમ્ |
ભજન્તિ યે દેવિ મહીપતીનાં બ્રજન્તિ તે સમ્પદમાદરેણ || 3 ||
માતંગિનીનાં ગમને ભવત્યા: શિંજિનમંજિરમિદં ભજે તે |
માતસ્ત્વદીયં ચરણારવિન્દમકૃત્રિમાણાં વચનં વિશુદ્ધમ્ || 4 ||
પાદાત્પદં શિંજિતનૂપુરાભ્યાં કૃતાર્થયંતિં પદવીં પદાભ્યામ્ |
આસ્ફાલયંતીં કલવલ્લકીં તાં માતંગીનીં સદ્ધદ્ધયાં ધિનોમિ || 5 ||
લીલાંશુકાબદ્ધનિતમ્બવિમ્બાં તાલીદલેનાર્પિતકર્ણભૂષામ્ |
માધ્વીસદાધૂર્ણિતનેત્રપદ્માં ધનસ્તનીં શંભુવધું નમામિ || 6 ||
તડિલ્લતાકાન્તમલક્ષ્યભૂષં ચિરેણ લક્ષ્યં નવલોમરાજ્યા |
સ્મરામિ ભક્ત્યા જગતામધિશે બલિત્રયાકં તવ મધ્યમમ્ || 7 ||
નીલોત્પલાનાં શ્રિયમાવહન્તીં કાન્ત્યા કટાક્ષૈઃ કલમાકરાણામ્ |
કદમ્બમાલાંચિતકેશપાશાં માતંગકન્યાં હૃદિ ભાવયામિ || 8 ||
ધ્યાયેયમારક્તકપોલવિમ્બં વિમ્બાધરન્યસ્તલલામરમ્યમ્ |
આલોલનીલાલકમાયતાક્ષં મન્દસ્મિતં તે વદનં મહેશિ || 9 ||
સ્તુત્યાનયા શંકરધર્મપત્નીં માતંગીનીં વાગધિદેવતાં મામ્ |
સ્તુવન્તિ યે ભક્તિયુતા મનુષ્યાઃ પરાં શ્રિયં નિત્યમુપાશ્રયન્તિ || 10 ||
|| અસ્તુ ||









.png)