chalo satsang kariye

વ્રત-કથા-મંત્ર-સ્તોત્ર-પાઠ-જ્યોતિષ-વાસ્તુશાસ્ત્ર આદિ જ્ઞાન ગુજરાતી રીતિરીવાજો આધ્યાત્મિક જ્ઞાન સહીત સર્વ સહજ સરળતાથી અહીંયા પ્રસ્તુત કરવા માટે ચાલો સત્સંગ કરીયે ।


અધિક માસ માં દીપદાન ની વિધિ । Adhikmaas Ma Dipdaan ni vidhi ।


અધિક માસ માં દીપદાન ની વિધિ


અધિક માસ માં દીપદાન ની વિધિ

પુરુષોત્તમ માસમાં ભગવાન સમક્ષ કરો માત્ર એક દીવો

જન્મોજન્મની દરિદ્રતા દૂર થઈ જશે!

અધિક માસમાં દીપદાન કેવી રીતે કરવું?

કર્તવ્યં દીપદાનં ચ પુરુષોત્તમતુષ્ટયે |

તેન તે તીવ્ર દારિદ્ર્યં સમૂલં નાશમેષ્યતિ ||

તિલતૈલેન કર્તવ્યઃ સપિષા વૈભવે સતી |

તયોર્મધ્યે ન કિઞ્ચિત્તે કાનને વસતોઽધુના || 

|| અર્થ ||

પુરુષોત્તમ માસમાં ભગવાન પુરુષોત્તમ (શ્રી હરિ વિષ્ણુ) ની પ્રસન્નતા માટે દીપદાન અવશ્ય કરવું જોઈએ. તેનાથી મનુષ્યની તીવ્રમાં તીવ્ર દરિદ્રતાનો પણ જડમૂળમાંથી નાશ થઈ જાય છે. જો આર્થિક પરિસ્થિતિ (વૈભવ) સારી હોય તો ગાયના ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ, અથવા તો تલના તેલનો દીવો પ્રગટાવીને ભગવાન વિષ્ણુના ચરણોમાં અર્પણ કરવો જોઈએ.

|| મંત્ર ||

ॐ ऐं | ॐ श्रीं | ॐ क्लीं |

અધિક માસમાં ભગવાનને દીપદાન કરવાથી શું ફળ મળે છે?

  • લક્ષ્મીજીની કૃપા: લક્ષ્મીમાં વૃદ્ધિ થાય છે અને સ્થિર લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે.

  • વેદોનું પુણ્ય: વેદોમાં જણાવેલા તમામ સત્કર્મો કરવાથી જે ફળ મળે છે, તે માત્ર એક દીપદાન કરવાથી જ પ્રાપ્ત થઈ જાય છે.

  • સૌથી સર્વોત્તમ કર્મ: જગતના સમસ્ત તીર્થો અને શાસ્ત્રોનું પુણ્ય પણ પુરુષોત્તમ માસના દીપદાનની સોળમી કળા (એક નાનકડા અંશ) બરાબર પણ નથી.

અધિક માસમાં દીપદાન કેવી રીતે કરવું?

યોગ, સાંખ્ય દર્શન, સર્વ તંત્ર, સર્વ શાસ્ત્રો, સર્વ વ્રત, ચાંદ્રાયણ વ્રત અને હજારો ગ્રહણ વગેરે પુણ્યકાળ પણ પુરુષોત્તમ માસના દીપદાનની સોળમી કળા બરાબર નથી.

  • વિદ્યાર્થીઓ માટે: જે વિદ્યાર્થીઓ ભણવામાં નબળા છે, જો તેઓ દીપદાન કરે તો ઉત્તમ વિદ્યા પ્રાપ્ત કરે છે.

  • ધન-વૈભવ માટે: જેમને ફક્ત ધન-દોલત જોઈએ છે, તેઓ ધનવાન બને છે.

  • ભક્તો માટે: જેમને ભક્તિ જોઈએ છે, તેઓ પરમ હરિભક્ત બને છે (હરિ એટલે કે વિષ્ણુ આદિ દેવતા).

ભગવાન મનુષ્યની તમામ ઈચ્છાઓને પૂર્ણ કરે છે.

|| ૐ નમો ભગવતે વાસુદેવાય ||